Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2024

ઉંમર વધતાં પાચનશક્તી નબળી પડે, આથી પણ કદાચ લોહતત્ત્વની ઉણપ વરતાય છે. લોહ તત્ત્વ જે આહારમાંથી મળે છે એ પૈકી ખજુર અને કાળી સુકી દ્રાક્ષ મને વધુ પસંદ છે. કેટલાક વખતથી હું ખાંડનો ઉપયોગ બને ત્યાં સુધી કરતો નથી. ગોળ અવારનવાર વાપરું છું. ગોળમાં પણ લોહ હોય છે, પણ ડાયાબીટીસવાળા એ લઈ ન શકે. વળી એનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી ન શકાય. સવારના નાસ્તા માટે હું ઓટની રાબ બનાવું છું. એમાં હવે આગલા દીવસે પાણીમાં ભીંજવી રાખેલ ખજુર અને કાળી દ્રાક્ષ નાખું છું. પહેલાં હું એ રાબ ઉકાળતી વખતે ખજુર-દ્રાક્ષ પણ નાખી દેતો, એટલે કે ખજુર-દ્રાક્ષને પણ ઉકાળીને વાપરતો હતો.

થોડા વખત પર લોહની ઉણપ મને હોય એમ લાગ્યું. આથી બીજો કોઈ ફેરફાર ન કરતાં ખજુર-દ્રાક્ષને ચમચી અને ફોર્ક વડે મીક્ષ કરી રાબ ઉકાળીને તૈયાર થયા પછી એમાં નાખવાનું શરુ કર્યું, અને લોહ તત્ત્વની ઉણપ મને દુર થઈ ગયેલી લાગી. આમ ખજુરને ઉકાળવાથી કદાચ લોહ તત્ત્વ અમુક પ્રમાણમાં નષ્ટ થતું હોય અથવા એનું પાચન યોગ્ય રીતે ન થતું હોય એમ બને. એમ મને લાગે છે. કે કદાચ એનું યોગ્ય પાચન થઈ શકતું નહીં હોય.

બીજી એક બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે લોહના ચયાપચયમાં ચા અવરોધ પેદા કરે છે. આથી લોહયુક્ત આહાર લીધા પછી તરત ચા પીવી ન જોઈએ.

Read Full Post »