હીન્દુ ધર્મમાં લગભગ બધી જ વીધીઓની શરુઆત પવીત્રીકરણથી કરવામાં આવે છે. પુરાણા કાળમાં લોકો પાસે કેલેન્ડરો ન હતાં, આથી પુજા કરાવનારા પ્રથમ વાર, તીથી, સંવત વગેરેની માહીતી આપતા. આજે ખરેખર એ બધાંની કશી જરૂર નથી. વળી મોટા ભાગે આજે બધા જ લોકો અંગ્રેજી તારીખનો ઉપયોગ કરે છે, આથી વીક્રમ સંવત, તીથી વગેરેનું ખાસ મહત્વ પણ રહ્યું નથી. વળી જાતે પુજા કરીએ ત્યારે એની જરુર પણ રહેતી નથી. તો પુજા શરુ કરતાં પહેલાં બધી જરુરી સામગ્રી તૈયાર રાખવી.
શરુઆતમાં સામાન્ય શાંતીહવનની માહીતી આપી છે. આ શાંતીહવન જે હેતુસર કરવાનો હોય તે મુજબ સામગ્રીની જરુર પડશે. જેમ કે મરણ પ્રસંગે ગતાત્માની શાંતી માટે કરવામાં આવતા સામાન્ય હવનમાં કળશપુજા કરવાની હોતી નથી, આથી માત્ર એક જ નાળીયેરની જરુર રહેશે.
હવન પુજા સામગ્રી
નાળીયેર ૧ કે ૨, સોપારી નંગ ૧૦, ચોખા-૫૦૦ ગ્રામ
ઘઉં, તલ, જવ, છીણેલું કોપરું બધું મળી ૧૦૦ ગ્રામ
સુખડના નાના ટુકડા વ્યક્તી દીઠ ૪ પ્રમાણે
અગરબત્તી અને એનું સ્ટેન્ડ, કંકુ અને એની વાડકી
દીવો, રૂ, દીવાસળી, ઘી, છૂટાં ફૂલ- ૪૦થી ૫૦
હવનપડી(હવન સામગ્રી), એને માટે એક મોટો વાડકો- Bowl, કપુર ૩ થી ૪ મોટા ટુકડા
લાલ કાપડનો ટુકડો- અડધો મીટર
થાળી-૨, વાડકી અને ચમચી- વ્યક્તી દીઠ ૨-૨, એક મોટો ચમચો લાંબા હાથાનો
ઘી-આહુતી માટે ૫૦૦ ગ્રામ
આરતી, હવનકુંડ, લાકડાં, પ્રસાદ
શુભ કાર્યના હવન માટે આ ઉપરાંત
તાંબાનો કળશ, ગણપતીની મૂર્તી, ભગવાનની મૂર્તી, નાનું તરભાણુ
નાડાછડી, દુર્વા(દરોઈનું ઘાસ), પંચપલ્લવ(પાંચ જાતનાં નાના પાંદડાં ૧-૧), પંચધાન્ય( પાંચ જાતનું અનાજ-એક ચપટી )
સફેદ કાપડનો ટુકડો – અડધો મીટર
ચંદન, અબીલ, ગુલાલ, સીંદુર, ગુલાબજળ
દૂધ, દહીં, મધ, સાકર, ગોળ
નાગરવેલ(ખાવા)નાં પાન- એકબે, એલચી, લવીંગ
ઘઉં-૨૦૦ ગ્રામ(ષોડશ માતૃકાના સ્થાપન માટે)
ગણપતીની મુર્તી અને તરભાણુ, ભગવાનની મૂર્તી
બે પાટલા કે નાનાં બાજઠ
પુજાની સામગ્રી પૈકી જે મળી શકે તેમ હોય તેનો ઉપયોગ કરવો. જો કોઈ વસ્તુ ન મળી શકતી હોય તો તેની અવેજીમાં ચાલી શકે તેવી વસ્તુ વાપરી શકાય. વળી કેટલીક વખત સોનું, મોતી, માણેક જેવી વસ્તુનો પણ ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું હોય છે. આવી વસ્તુની અવેજીમાં ચોખા વાપરી શકાય. આ વસ્તુઓ જણાવવા પાછળનો આશય ખરેખર એટલો જ હોય છે કે, આપણી પાસે ગમે તેટલી કીમતી વસ્તુ હોય તે પણ આપણી નથી, મૃત્યુ આવશે અને બધું છીનવાઈ જશે. આ હકીકત યાદ રહે એટલા માટે જ એનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે, નહીં કે પુજા કરાવનારના લોભને સંતોષવા.
શાંતિ હવન-સામગ્રી
ઓગસ્ટ 28, 2008 ગાંડાભાઈ વલ્લભ દ્વારા
Leave a comment